અક્ષરમંદિર

૪૯, અક્ષરમંદિર

હે સંત ! આપ અક્ષર મંદિર ખોલો, પુરુષોત્તમ એવા નારાયણ ભગવાનના દર્શન કરવા છે. ધર્મ પિતા અને ભક્તિમાતા ના પુત્ર, ભગવાન સહુ જાનંદને નીરખવા છે.

હે યોગી ! આપની કૃપાથી મને શ્રીકૃષ્ણમાં લગની લાગી છે. સંસારનાં સર્વ ક્ષણિક સુખ કડવા લાગવા માંડે છે; સત્ય, અસત્યના ભેદ બતાવતી વિવેકબુદ્ધિ જાગી છે, પણ આ બધાનું મૂળ તો એ છે કે,

‘બિન હરિકૃપા મિલહી નહીં સંતા’ (રામ કથા)

મહારાજની દયા વિના, આપ ક્યાંથી મળી ?

મન રૂપી દર્પણ અવિદ્યા રૂપી મેલ ધોવાઈ જવાથી નારાયણ હૃદયમાં દેખાવા લાગ્યા પણ બીજી જગ્યાએથી કા માં કઈ દેખાય તેમ,

આ મહારાજના અવતાર લીલા અધ મને ચંડી, રવાની નીિ, પણ તેને. ધામમાર્ગે વાળવાની છે.

એ જ સહજાનંદ મહારાજ ની 3 પાણી, યોગા મ ય રાજનાં દર્શન થયા, પાપરૂપી તણખાં ને ઠારી દીધી નથી, પણ પુછયરૂપી. હુતાશન માં મેળવી પુણ્ય રૂપી બનાવી દીધો.

            અક્ષર મંદિર

    (આવ્યું ‘તું સપનું એક એ ૨ાગ)

હવે તમે અક્ષર મંદિરીયા ઉઘાડો,

પુરુષોત્તમને     પખવા;

ભક્તિની કુંખે જે જાય રે,

દયાળુ ને દેખવા.

લટકાળાની લગન લાગી રે ,

સંસાર ખારો ઝેર રે ;

વૃત્તિ વિવેકે ગઈ જાગી રે ,

મા’રાજ કેરી મેર છે
હવે તમે ( ૧ )

મનડાના મેલ ધોવાણા રે 

દરપણ ચોખાં દીસતાં

પડિયો એમાં જો પડછાયો

આછું આછું ભાસતાં – હવે તમે ( ૨ )

એણે લીધો અવતાર રે

ધરમ ને જિવાડવા

અધરમને પાછો વાળી

ધરમ પંથે ઢાળવા –  હવે તમે ( ૩ )

‘ કાગ ’ પર કરુણા કીધી રે

જોગી સંગે મેળવ્યો

તણખાને દીધો નથી ઠરવો

અગનિ અંગે ભેળવ્યો હવે તમે ( ૪ )

 

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો